રાજકોટ શહેર માં રાત્રિ કર્ફયુમાં સમયમર્યાદા ઘટાડાઈ, હવે રાત્રે ૧૦થી સવારે પાંચ વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૬.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલથી અમલી બનનારા ‘અનલોક-૨.૦’ની માર્ગદર્શિકાની ગઈકાલે સાંજે જાહેરાત કરી છે. જેમાં રાત્રી કફર્યુંની સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રી કફર્યું હતો. તેનો સમય ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે પ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ રાત્રી કફર્યું રાત્રે ૧૧ વાગ્યા બાદ અમલી કરવાની માંગ થઈ હતી જેને, સરકારે ગ્રાહ્ય રાખી નથી જો કે, રાત્રી કફર્યું દરમ્યાન હાઈવે પર ભારવાહક વાહનો, પેસેન્જર વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકોને સહિતના પરિવહનને છૂટછાટો આપવામાં આવી છે. ઉપરાંત શાળા, કોલેજો, સહિતની શૈક્ષણીક સંસ્થાઓ, સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસો જીમ, સ્વીમીંગ પુલ, ઓડીટોરીયમ સહિતના જાહેર સ્થળો ૩૧ જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment