ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ ઓકટોબરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

માહે ઓક્ટોબર- ૨૦૨૩નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી- પાલિતાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉમરાળા તથા પોલીસ અઘિક્ષક – ભાવનગર ગ્રામ્યનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.

જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંઘીત તલાટી કમ મંત્રીને રજુ કરવા અનુરોધ કરવામાં આવે છે જે નિવાસી અધિક કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment