મૂળ લાભાર્થીને સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડ્યે ૧૮ આવાસ સીલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે અન્વયેછત્રપતિ શિવાજી ટાઉનશીપ – પોપટપરા, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ – પોપટપરા, ચંદ્ર શેખર આઝાદ ટાઉનશીપ – પોપટપરા, ખાતે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે તા.૦૩/૧૦/૨૦૨૩ અને તા.૦૫/૧૦/૨૦૨૩ નાં રોજ કુલ મળી૧૮ (અઢાર) આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment