ગીર સોમનાથ ખાતે ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી આપતી પ્રભાસ પાટણ કન્યાશાળાના ૧૦૪ વર્ષ પૂર્ણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     પ્રભાસપાટણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓને ઉત્તમ શિક્ષણ સાથે કેળવણીના પાઠ પણ ભણાવતી પ્રભાસ પાટણ કન્યાશાળાની સ્થાપનાને ૧૦૪ વર્ષ પૂર્ણ થયા છે. ૦૪.૧૦.૧૯૧૯ના રોજ સ્થાપના પામેલી આ કન્યાશાળામાં પ્રભાસપાટણ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારની કુલ ૬૩૮ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

તદુપરાંત શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પંપાણિયાના માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાનબેટી બચાવો સહિત કાર્યક્રમો અને ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ તમામ ૧૯ શિક્ષકો વિદ્યાર્થીનીઓને કેળવણીલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવે છે. જેથી તેમની આંતરપ્રતિભા ખીલી ઉઠે. કુલ ૨૦ વર્ગખંડની સુવિધા ધરાવતી આ સરકારી શાળા સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, IED રિસોર્સ રૂમ, સ્માર્ટ કલાસ, પીવાના શુદ્ધ પાણી, પ્રાર્થના હોલ, PM પોષણ યોજના સાથે ઉત્તમ ભૌતિક સુવિધાથી સજ્જ શાળા બની છે.

વર્ષ ૨૦૦૯માં દુધમાર્કેટ, પ્રભાસપાટણમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે કન્યાશાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ થયેલું ત્યારથી લઈ આજસુધીમાં તત્કાલીન નાણામંત્રી વજુભાઇ વાળા, સર્વે મંત્રી જશાભાઈ બારડ, અરવિંદભાઈ રૈયાણી, દિનુભાઈ સોલંકી, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા સહિત શિક્ષણ વિભાગના શીર્ષ અધિકારીઓએ પણ આ શાળાની મુલાકાત લઈ અને શિક્ષણ સાથે સહઅભ્યાસીક પ્રવૃત્તિ અને સંસ્કારોનું સિંચન કરતી શાળાની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને બીરદાવી ચૂક્યા છે.

Related posts

Leave a Comment