ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા યોજાઈ રહી છે વિશાળ યોગ શિબિર 

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

             ગુજરાતના જન-જન સુધી યોગ પહોંચાડવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

        વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિર્મિત, ભારત વિકાસ પરિષદ સંચાલિત સ્વ.શ્રી દયાશંકર ઓઝા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૭૩ સ્થાનો પર ૭૩૦૦૦ યોગ સાધકો દ્વારા ૭૩,૦૦૦ સુર્ય નમસ્કારની વડાપ્રધાનને યોગમય ભેટ આપવામાં આવશે. વસુધૈવ કુટુંમ્બકમના ભાવ સાથે આવો આપણે સ્વસ્થ બની, નિરોગી રહી આપણા વડાપ્રધાનને ગીર સોમનાથ જિલ્લા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આપીએ જન્મદિવસની અમૂલ્ય ભેટ. આ અવસરે આપણે સૌ પણ પરિવાર સાથે જોડાઇએ.

Related posts

Leave a Comment