હિન્દ ન્યુઝ, વેરાવળ
તારીખ ૦૩-૦૯-૨૦૨૩ રવિવાર ના રોજ વેરાવળ પાટણ બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્ય દેવ પરશુરામ ભગવાન અને પ્રથમ જ્યોતિ લિંગ સોમનાથ મહાદેવ ની ધ્વજારોહણ પ્રસંગ નું આયોજન કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ટ્રસ્ટી છેલભાઇ જોષી તથા ગીર સોમનાથ જિલ્લા ના નવનિયુકત પ્રમુખ તુષારભાઈ પંડ્યા, વેરાવળ પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, વેરાવળ શહેર પ્રમુખ ભરતભાઇ જોશી, પાટણ સોમપુરા બ્રહ્મ સમાજ ના નવનિયુકત પ્રમુખ હેમલભાઈ ભટ્ટ તથા મિલનભાઈ જોશી, રીતેશભાઈ પંડ્યા, પ્રદીપભાઈ મહેતા, દિનેશભાઈ જોશી, ગૌતમભાઈ રાજ્યગુરુ, કેતનભાઈ પંડ્યા, વિજયભાઈ જાની, પરેશભાઈ ભટ્ટ તથા ભરતભાઇ પંડયા તથા સુત્રાપાડા તાલલા ના બ્રહ્મ આગેવાનો હર્ષદભાઈ જોશી વગેરે તથા વેરાવલ શહેર ના યુવા પ્રમુખ ભાર્ગવભાઈ દવે, યુવા ઉપપ્રમુખ ધ્યેયભાઈ મહેતા, મહામંત્રી કલ્પેશભાઈ જાની, મહામંત્રી નીરવભાઈ મહેતા, સંગઠન મંત્રી ચિંતન જોશી, મહાસહિવ પ્રતીક જોશી, વેરાવળ યુવક મંડળ ના સભ્યો તથા જિલ્લા મહિલા પાંખ પ્રમુખ નીપાબેન પુરોહિત તથા ધારાબેન જોશી તેમજ સેંકડો ની સંખ્યામા બ્રહ્મ પરિવારો હાજર રહી અને ધ્વજારોહણ કાર્યકમ સફળતા પૂર્વક ઉજવણી કરી.
રિપોર્ટર : કલ્પેશ જાની, વેરાવળ