આદ્યશકિત માં અંબાજી ના પૂજન અર્ચન કરીને તેમના દિવસ નો પ્રારંભ કર્યો હતો. વિજયભાઈ રૂપાણી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૪.૬.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહેલી સવારે આદ્યશકિત માં અંબાજી ના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રા માં વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ

ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનની ના દર્શન અર્ચનથી કરી છે. તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાત ને કોરોના ના આ સંકટ માંથી સલામત પાર ઉતારે તેવી મનોકનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment