મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન

હિન્દ ન્યુઝ, મહીસાગર

      આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત ૭૭મા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ “તિરંગા પદયાત્રા”માં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર,સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર,બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અગ્રણી કો દશરથભાઈ બારીયા, કલેકટર ભાવિન પંડયા, ડીડીઓ ચંદ્રકાંત પટેલ, એસપી જયદીપસિંહ જાડેજા સહિત અધિકારીઓ પદાધિકારીઓ, નિવૃત્ત જવાનો, સિનિયર સીટીઝન, તબીબો, સ્વયંસેવી સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો, એનસીસી, એસપીસી, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહીસાગર

 

Related posts

Leave a Comment