ધંધો-રોજગાર શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન

એન.યુ.એલ.એમબેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી

હિન્દ ન્યુઝ, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કેદીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડઆવાસના લાભાર્થી તથા અનુ.જાતિઅનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫ વર્ષથી ૭ વર્ષ રહેશે.

જરૂરીપ્રમાણપત્રો

·      પાસપોર્ટફોટોગ્રાફ –

·      ચુંટણીકાર્ડ

·      આધારકાર્ડ

·      પાનકાર્ડ

·       સ્કુલલીવીંગ/જન્મનોદાખલો

 

·      મકાનવેરાબિલ

·      ડ્રાઈવિંગલાયસન્સ (વાહનલોનમાટે)

·      લાઈટબિલ

·      ભાડેરહેતાહોયતોભાડાચિઠ્ઠી /સહમતીપત્રક

·      ક્વોટેશનઓરિજિનલ

·      બેંકખાતાનીપાસબુકનીનકલ

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડૉ.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો.

Related posts

Leave a Comment