બીપોરજોઈ વાવાઝોડા માં વ્યવસ્થા સંભાળનાર અધિકારીઓનું લાલપુર હિન્દુ સેનાએ કર્યું સન્માન

હિન્દ ન્યુઝ, જામનગર

            જામનગર જિલ્લામાં આવેલ લાલપુર તાલુકામાં બીપોરજોય વાવાઝોડું માં તમામ લોકોએ મદદરૂપ સાથે સારી એવી સેવા કરી હતી કોઈપણ જાનહાની ન થાય તેની તકેદારી રાખેલ હતી. જેમાં લાલપુર ના પ્રાંત અધિકારી, મામલતદાર, સરકારી હોસ્પિટલના સ્ટાફ, પંચાયત સ્ટાફ, જી.ઈ.બી.નાં સ્ટાફ તેમજ આહીર યુવક મંડળનો લાલપુર હિન્દુ સેના દ્વારા શ્રી રામ ભગવાનની મૂર્તિ અને ભગવા ખેશ સાથે ભવ્ય સન્માન કરેલ.

         સાથોસાથ હિન્દુ સેનાએ વાવાજોડા માં કરેલી સેવાકીય કામગીરીને વધાવેલી હતી. આ સન્માન સમારોહ માં લાલપુર હિન્દુ સેના ના પ્રમુખ ગોવિંદભાઈ વસરા, ઉપપ્રમુખ શ્યામ રૂપારેલ, મંત્રી ગૌતમ પરમાર, ગૌરક્ષા પ્રમુખ વિશાલ ગૌસ્વામી, હિન્દુ સેના સૈનિક ચંદ્રેશ મુરલીવાલા, પાર્થ મજેઠીયા, ભાવેશ ઈડરિયા વગેરે એ સાથે રહી વાવાઝોડામાં સેવા કરનારાઓને લાલપુર હિન્દુ સેના એ સન્માનિત કાર્યા હતા.

Related posts

Leave a Comment