તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

         આગામી જૂન/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૬/૦૬/૨૦૨૩ નાં રોજ શિવરાત્રી, તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ અષાઢી બીજ (ભગવાન જગન્નાથજી રથયાત્રા), તા.૨૬/૦૬/૨૦૨૩ નાં રોજ દુર્ગાષ્ટમી તથા તા.૨૯/૦૬/૨૦૨૩ નાં રોજ બકરી ઇદ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ બહાર પાડવુ જરૂરી જણાતા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબના પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

આ જાહેરનામું તા.૦૧/૦૭/૨૦૨૩ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે તેમ અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે.

Related posts

Leave a Comment