ઓડ નગરમા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટીંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

      આણંદ જિલ્લાના ઓડ નગરમા ભાજપા સંગઠન દ્વારા તા-૨૨ના રોજ કારોબારી મીટીંગ યોજાઈ આવનાર ચૂંટણીને અનુલક્ષીને તા ૩૦/૫/૨૩ થી તા-૩૦/૬/૨૩ સુધી ભાજપા દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શુભારંભ કરવાંમાં આવશે તે અંતર્ગત ઓડ નગરમા ભાજપાની કારોબારી મીટીંગ નુ આયોજન કરવામા આવ્યું ભાજપા ઓડ શહેર પ્રમુખ ભરતભાઇ પટેલ તથા ઓડના નગરપાલિકા પ્રમુખ ગોપાલભાઇ રાવલજી દ્વારા સંબોધનમા જણાવ્યું કે હાલના સમયમા ગામ, નગર પાલિકાઓ, શહેરો, દરેક રાજ્યમાં, દેશમા ભારતીય જનતા પાર્ટીના શાસન દરેક ક્ષેત્રમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે હજુ પણ વધુ વિકાસ કાર્યો થાય એવા પ્રયત્નો કરી ને સંગઠનને મજબૂત કરવા અપીલ કરવામા આવી. આજ ની મીટીગ મા દરેક કાર્યકરો ને જન સંપર્ક કાર્યકમ વિશેની સમજ આપવામા આવી તથા જનસંપર્ક કાર્યકમો સફળ બને તે માટે દરેકે પ્રયત્નો કરવા એવું જણાવવામા આવ્યું

આ મીટીગમા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો, બક્ષીપંચ, અનુસુચિત જાતિ મોરચો તથા ભાજપના દરેક મોરચાના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા રસિકભાઈ રાણા, બાબુ ખાલોટીયા, અશોક ઠાકોર, મુકેશ રાવલજી, તેજશ રાવળ, ગોકળભાઇ, નરેન્દ્ર ભાઇ, કમલેશભાઈ, અજીત રાવલજી, દિલીપ પટેલ, હિરેન પટેલ સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment