પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

           પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં.

મત્સ્યોદ્યોગપશુપાલન રાજ્યમંત્રી અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીફિશરીઝ કોલોની ખાતે માછીમારોને હારતોરા કરી આવકાર્યા હતા અને ક્ષેમકુશળ પૂછ્યા હતાં તેમજ મંત્રીએ કેન્દ્ર સરકારનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

માછીમારોની વતનવાપસીથી પરિવારના હૈયામાં આનંદનો મહાસાગર ઘૂઘવ્યો હતો અને આપ્તજનોને ભેંટી પડતા પરિવારના લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. આ તમામ માછીમારોની વાઘા બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો વડોદરાથી બસ મારફતે વેરાવળ પરત પહોંચ્યા હતા. વતનની માટીની મહેક હૈયામાં ભરી મુક્ત થયેલા સાગરખેડૂઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો ઉમળકાભેર આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાતના ૧૮૪ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો ઉપરાંત પોરબંદરના ૫દેવભૂમિ દ્વારકાના ૨૨જુનાગઢજામનગરકચ્છવલસાડ અને નવસારીના એક-એક માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.

આ તકે, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, મત્સ્યોદ્યોગ નિયામક વી.કે.ગોહીલ, નાયબ મત્સ્યોદ્યોગ નિયામક પટ્ટણી, કિશોરભાઈ કુહાડા, કિરણભાઈ કોળી, રામકૃષ્ણભાઈ ટંડેલ સહિતના અગ્રણીઓ તેમજ સાગરખેડૂ પરિવારોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment