વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા ‘મોક્ષરથ’ તેમજ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું કરાયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા અઢી વર્ષ દરમિયાન વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે વેરાવળ શહેરને નગરપાલિકા સંચાલિત સીટીબસમાં ફેરફાર કરી ૫.૦૦.૦૦૦ રૂપિયાના ખર્ચે ‘મોક્ષરથ’ તરીકે ઉપયોગમાં મૂકવામાં આવેલ છે. ઉપરાંત GUDM દ્વારા નગરપાલિકાઓમાં આવેલ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું આધુનિકીકરણ કરી નવનિયુક્ત ચીફ ઓફિસરશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીણા (IAS) તેમજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે.

આ નાગરિક સુવિધા કેન્દ્રમાં લગ્ન નોંધ, મિલકતવેરા, વ્યવસાય વેરા, ગુમાસ્તાધારા, સેવાકિય ફરિયાદો જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે. જેનો પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા, ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, નિલેશભાઈ વિઠલાણી, બાદલભાઈ હુંબલ, કિશનભાઈ જેઠવા, હંસાબહેન પાબારી, ભાવિકાબહેન સવનિયા, દવેભાઈ સહિત ચૂંટાયેલા સદસ્યઓ તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Related posts

Leave a Comment