રાજકોટ શહેરમાં આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ત્યારે વધુ એક દર્દીનું મૃત્યુ થતા જીલ્લામાં ફફડાટ મચી ગયો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમરેલીના કોરોના પોઝિટિવ ૬૫ વર્ષીય યોગેશભાઈ જોશીનું મોત નીપજ્યું છે. અમરેલીના ચિતલ રોડ પર આવેલ અવધ રેસિડેન્સીમાં રહેતા હતા. પાંચ દિવસ પહેલા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સાંજે તેમનું મૃત્યુ થયાનું આરોગ્ય વિભાગે સત્તાવાર જણાવ્યું છે. ત્યારે આજે વધુ એક દર્દીનું મોત થતા જીલ્લામાં કુલ મૃત્યુઆંક ૬ પર પહોંચી ગયો છે.

રિપોર્ટર  દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment