ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

A.R.O.-JAMNAGAR દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ જિલ્લાનાં અવિવાહિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીરની ભરતી જાહેરાત વર્ષ: ૨૦૨૩-૨૪ માટે પ્રસિધ્ધ થયેલ છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટ્રેડસમેન, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લાર્ક વગેરે કેટેગરીની જ્ગ્યાઓ માટે ભરતી યોજાનાર છે. જન્મતારીખ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ બન્ને તારીખ સહિત અથવા દરમિયાન હોવી જોઈએ. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝડ રીટર્ન ટેસ્ટ તા.૧૭/૦૪/૨૦૨૩ નાં રોજ યોજાશે તેમજ ત્યારબાદ ભરતીરેલી યોજાશે. ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૩/૨૦૨૩ દરમિયાન પોતાની કક્ષાએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, શારિરીક માપદંડ તેમજ અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવાં મદદનિશ નિયામક(રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment