શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા બાગાયતદારો અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવિ- ઉનાળું પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૨૮-૦૨-૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં હતાં. પરંતુ સિંચાઇ માટેના પૂરતા પ્રમાણમાં ફોર્મ આવ્યા ન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.

આથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઇના ફોર્મ અચૂક ભરી દેવા. મૂળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રવિ-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમાં તાત્કાલિક અસરથી ભરી જવાં માટે કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment