તળાજા ખાતે યોજાયેલ ભરતી મેળામાં ૧૨૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, ભાવનગર

આઈ. ટી. આઈ. તળાજા ખાતે યોજાયેલ ભરતી મેળામાં ૧૨૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ભાવનગર અને આઈ. ટી. આઈ. તળાજા ના સયુક્ત ઉપક્રમે તા. ૨૨/૨/૨૩ ના રોજ યોજાયેલ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના અંદાજિત ૪ એકમ(કંપની)માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ડાઇરેક્ટ સેલ્સ એક્સીક્યુટીવ, માર્કેટિંગ મેનેજર, ટ્રેની, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ ભરવા માટે આયોજિત ભરતી મેળામાં ૧૬૦ જેટલી ખાલી જગ્યા માટે ૨૬૨ જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી પ્રાથમિક ઇન્ટરવ્યૂ/રૂબરૂ મુલાકાત બાદ ૧૨૭ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment