એસ.પી.એમ.હાઇસ્કુલ માંગરોળ ખાતે વાલી સંમેલન યોજાયુ

હિન્દ ન્યુઝ, માંગરોળ

એસ.પી.એમ.હાઇસ્કુલ, માંગરોળ માં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન સાજીદ શેખ રઇસ સૈયદ, સલીમ વલી, શાળાના સુપરવાઈઝર ફિરદોસ પઠાણ તથા શાળાના આચાર્ય સઈદ અહમદ લીલગર દ્વારા આપવામાં આવ્યું. આ સંમેલન અંતર્ગત એસ.એસ.સી તથા એચ.એસ.સી પરીક્ષામાં વિદ્યાર્થી કઈ રીતે વધુમાં વધુ ગુણ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે પ્રેરક પ્રવચન આપી વાલીઓ સાથે ચિંતન મનન કરવામાં આવ્યું. વાલીઓનો પણ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓનું પરિણામ નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આભારવિધિ રિયાઝુદ્દીન આટોપી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રિયાઝુદ્દિન અન્ય સ્ટાફ મિત્રોના સહકારથી કર્યું હતું.

રિપોર્ટર : આસિફ બેલીમ, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment