બાવળા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 252 E.W.S મકાનો નું લોકાર્પણ

બાવળા,

બાવળા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 252 E.W.S મકાનો નું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય મંત્રી શિક્ષણ અને કાયદો ન્યાયતંત્ર ના વરદ હસ્તે લોકાર્પણ વેબીનાર દ્વારા કરવામાં આવ્યું, આ પ્રસંગે બાવળા – સાંણદ ના ધારાસભ્ય કનુભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ હાજર રહી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગમાં બાવળા નગરપાલિકા પ્રમુખ મીનાબેન પ્રકાશભાઈ પટેલ બાવળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આર કે. પટેલ,

બાવળા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ એસ.પટેલ, બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર સિધ્ધાર્થભાઈ પટેલ બાવળા નગરપાલિકા કા.ચેરમેન રાજેશભાઈ ઠકકર અને નગરપાલિકા ના સદસ્યો તથા સંગઠન ના હોદ્દેદારો તથા બાવળા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતભાઈ મેર, બાવળા શહેર ભાજપ પૂર્વ, પ્રમુખ કેતનભાઈ પટેલ તથા ચેતનસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અભિશેખ સુરાણી, અમદાવાદ

Related posts

Leave a Comment