કોરોના મહામારી વચ્ચે પત્રકારોને આર્થિક મદદ કરવા ‘‘પત્રકાર ઍકતા સંગઠન’’ ની નવસારી સાંસદ સી.આર.પાટીલને રજૂઆત

વલસાડ,

વૈશ્વિક મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડના જાહેર કરાયેલ રાહત પેકેજમાં પત્રકારો, જર્નાલિસ્ટો, ચિત્રકારો, લેખકો, આર્ટિસ્ટોનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય, જેથી કરી ગુજરાતના સૌથી મોટા- અને સંગઠીત પત્રકાર ઍકતા સંગઠન દ્વારા ગુજરાતના ૩૩ જિલ્લાઅો અને દરેક તાલુકાના નિમાયેલા હોદ્દેદારો અને પત્રકારો તથા અન્ય સંગઠનોઍ સરકારને રજૂઆત કરવામાં આવેલ છે.
સુરત હાલમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીમાં તમામ જનતા નોકરી-ધંધા મતે બેહાલ થઇ ચુકી છે. તથા પરપ્રાંતિયો બેરોજગારી અને ભૂખને કારણે માદરે વતન સરકાર દ્વારા મોકલી આપવામાં આવ્યા છે, જાકે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બેઠુ કરવા માટે ૨૦ લાખ કરોડ પેકેજની પણ જાહેરાત કરવામાં આવેલ છે, તમામ નાગરિકોને જ નાના-વેપારીઅો-ધંધાર્થીઅોને સરકાર દ્વારા સહકારી બેîકો થકી ૧ લાખ સુધી લોન આપવામાં આવશે, પરંતુ કોઇ પણ કપરી પરિસ્થિતિમાં ઉભો રહેતો ગુજરાતના પત્રકાર માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા ૧ રૂપિયાની પણ સહાય કરવામાં આવેલ નથીï કે નથી આર્થિક પેકેજમાં પત્રકારોની જાગવાઇ કરવામાંમ આવેલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના સૌથી મોટુ પત્રકારોનું સંગઠન ઍટલે પત્રકાર ઍકતા સંગઠન દ્વારા પત્રકારો માટે આર્થિક પેકેજ માટે પત્રકાર ઍકતા સંગઠન દ્વારા ગુજરાતના ૩૩ જિલ્લાઅો અને તાલુકાઅોના દરેક જિલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્ય અને તાલુકાના મામલતદારોને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના અમુક ધારાસભ્યોઍ પત્રકાર ઍકતા સંગઠન વતી ગુજરાત સરકારને ભલામણપત્રો લખવામાં આવ્યા છે. ત્યારે નવસારી લોકસભાના લોકલાડીલા સાંસદ ઍવા સી.આર.પાટીલ દ્વારા પત્રકાર ઍકતા સંગઠન વતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવેલ છે. જેથી કરી આવનારા સમયમાં ગુજરાતના તમામ પત્રકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી પત્રકારોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Related posts

Leave a Comment