દસ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરાવવા માટે તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર

યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ) દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુ સમય પહેલાં કઢાવેલા આધારકાર્ડ ધારકો માટે એક અગત્યની સૂચના બહાર પાડી છે. જે આધારકાર્ડ ધારકોના કાર્ડ છેલ્લા દસ વર્ષ દરમિયાન અપડેટ કરવામાં ન આવ્યા હોય તેવાં નાગરિકોએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો (ઓળખનાં પુરાવા અને રહેણાંકનાં પુરાવા) સાથે આધારકાર્ડ અપડેટ કરાવવા જણાવેલ છે. કાર્ડ ધારકોએ આ પ્રક્રિયા માટે રૂ.૫૦ રકમ ચૂકવી અને આધાર નોંધણી કેન્દ્ર પરથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે, તેમ નોડલ ઓફીસર (યુ.આઈ.ડી) અને નિવાસી અધિક કલેક્ટરશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment