સોમનાથ ટ્રસ્ટના માનનિય  ટ્રસ્ટી અને ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાહેબના ૯૫’માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

  સોમનાથ ટ્રસ્ટના માનનિય  ટ્રસ્ટી પૂર્વ નાયબ વડાપ્રધાન  લાલકૃષ્ણ અડવાણી  સાહેબ સાહેબના જન્મદિવસ નિમીત્તે આજરોજ  સોમનાથ મંદિર ખાતે  મહાપૂજન કરવામાં આવેલ. મહાપૂજન તેમના પ્રતીનીધિ સ્વરૂપે ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી  દ્વારા કરવામાં આવેલ.  અડવાણી સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય માટે સોમનાથ મહાદેવને  પ્રાર્થના કરવામાં આવેલ.સોમનાથ ભગવાનને મહાપૂજન, વિશેષ શૃંગાર કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી, જનરલ મેનેજર, સહીત અધિકારીઓ તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા‌.

Related posts

Leave a Comment