સિહોર તાલુકાની મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવતી પાલિતાણાની અભયમ ટીમ

હિન્દ ન્યુઝ, ભાવનગર

૧૮૧- મહિલા અભયમની ટીમ અણીના સમયે મહિલાઓને મદદ કરીને એક સુરક્ષિતતાનું વાતાવરણ પુરૂં પાડ્યું છે. અનેક મહિલાઓ માનસિક અને શારીરિક અત્યારચારમાંથી તેનાથી બચી શકી છે. આ ઉપરાંત જરૂરી કાઉન્સેલીંગથી અનેક ઘર તૂટતાં પણ બચાવી શકાયાં છે. આવાં જ એક કિસ્સામાં ભાવનગરના સિહોર તાલુકામાં એક મહિલાને તેમના પતિ હેરાન- પરેશાન કરતાં હતાં. જેથી તેણીનીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર અભયમ પર સંપર્ક કરી મદદ માંગી હતી. આ કોલનો ત્વરિત જવાબ આપતાં મહિલા અભયમની ટીમે ત્વરિત મહિલાની મદદે પહોંચી તેને પડતી ત્રાસદીમાંથી મુક્ત કરાવી હતી. આ અંગેની વિગતો એવી છે કે, ૧૮૧ ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાની સમસ્યા સાંભળતા જાણવાં મળ્યું હતું કે, મહિલાના પહેલાં લગ્ન થયાં હતાં. ત્યાં પતિનું અફેર તેની ભાઈની પત્ની સાથે થતાં મહિલા ઘર મૂકીને પિયર પરત આવી ગઇ હતી.પિયરમાં થોડા દિવસ રહ્યાં બાદ એકલવાયું જીવન લાગતાં એક યુવક સાથે પ્રેમ થઈ જતાં તેમની સાથે લગ્ન કરીને યુવક સાથે જતાં રહ્યાં હતાં . આમ, પિયરમાંથી પ્રેમી સાથે ભાગેલી મહિલાને પિયરનો સાથ છૂટી ગયો હતો. પહેલાં તો બધું સુખરૂપ ચાલ્યું પરંતુ થોડા દિવસમાં પ્રેમીએ તેનો અસલી રંગ બતાવતાં ઝગડો કરવાનું શરું કરી દીધું હતું. મહિલાને પ્રેમી હેરાનકરતો હોવાથી ઘરની બહાર નીકળી આ મહિલાએ ૧૮૧- અભયમમાં કોલ કરીને મદદની માંગણી કરી હતી. જેથી ૧૮૧ અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉંસેલિંગ કરી જરૂરી સલાહ, સૂચન માર્ગદર્શન આપતાં મહિલાને સંસ્થામાં આશ્રય અપાવ્યો હતો અને પતિના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. આ કામગીરીમાં પાલીતાણા ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ ત્વરીત કામગીરી કરીને મહિલાને દોઝખમાંથી બચાવી હતી.

Related posts

Leave a Comment