નવનિર્મિત પોલીસ કચેરીની લાઈબ્રેરીની મુલાકાત દરમિયાન ભગવદ ગીતાનું રસપૂર્વક અધ્યયન કરતાં રાજ્ય ગૃહમંત્રી

હિન્દ ન્યુઝ, બોટાદ

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ બોટાદમાં નવનિર્મિત એસ.પી કચેરીનું લોકાર્પણ કરવાની સાથોસાથ સમગ્ર કચેરીની મુલાકાત લીધી હતી. આ અવસરે શ્રી સંઘવીએ કચેરીમાં નિર્મિત આકર્ષક લાયબ્રેરીની વિશેષ મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે લાઈબ્રેરીમાં પ્રવેશતાની સાથે જ સૌ પ્રથમ શ્રીમદ ભગવદ ગીતા પુસ્તકનું અધ્યયન કર્યુ હતું. તેમજ લાયબ્રેરીના અન્ય પુસ્તકો પણ રસપૂર્વક નિહાળ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ બોટાદવાસીઓને આહ્વાન કર્યુ હતું કે તમામ લોકો એસ.પી. કચેરીમાં નિર્મિત પુસ્તકોના ખજાનારૂપ લાયબ્રેરીની મુલાકાત લે અને તેમના જ્ઞાનમાં વધારો કરે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment