કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ

            રાજયના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજાઈ હતી. ચૂંટાયેલા પદાધિકારીઓએ રાજ્યમંત્રી સમક્ષ પોતાના વિસ્તારના વીજળી સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીએ કચ્છ જિલ્લામાં પ્રજા અને ખેડૂતોને વિના વિક્ષેપે વીજળી મળી રહે તે દિશામાં કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. આ ઉપરાંત, પ્રજાના વણઉકલ્યા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને રાજ્યમંત્રીએ તાકીદ કરી હતી.

            જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિર, માંડવી મુંદ્રા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાના વિસ્તારના પ્રજાના પ્રશ્નો અંગે રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીએ પદાધિકારીઓના એક-એક પ્રશ્નને વિગતવાર સાંભળીને તેના વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી માગી હતી. આ ઉપરાંત, તમામ પ્રશ્નોનું નિવારણ નિયત સમયમર્યાદામાં આવે તે રીતે કામગીરી કરવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

            આ નગરપાલિકાના પ્રમુખઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓએ પોતાના વિસ્તારના સબ સ્ટેશન, વીજ વીતરણ લાઈન, ખેતીવાડી કનેક્શન, ઘરેલું વીજ કનેક્શન વગેરે સમસ્યાઓને લઈને રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેનું નિરાકરણ લાવવા રાજ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.

            આ બેઠક દરમિયાન પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી. પ્રીતિ શર્મા, ઓ.એસ.ડી. રાજ શર્મા, જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, અંજાર પી.જી.વી.સી.એલ. અધિક્ષક ઈજનેર બી.ડી.ઝાલાવડીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment