રાજકોટ શહેરમાં કોરોનાના કારણે ત્રીજા વ્યકતીએ જીવ ગુમાવ્યો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૯ ઉપર પહોંચ્યો છે. જેમાં શહેરમાં ૮૩ અને ગ્રામ્યના ૨૬ પોઝીટિવ કેસ નોંધાયા છે. ત્યારે આજે વધુ એક દર્દી કોરોનાનો ભોગ બન્યો છે. આજે શહેરમાં કોરોનાથી જીલ્લામાં ત્રીજું મોત થયું છે. ૫૪ વર્ષીય મુસ્તાક કાદરીનું મૃત્યુ થયું છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે કોરોનાથી મૃત્યુ થયું. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં ૩ લોકોના મોત નીપજ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment