રાજકોટ શહેરમાં ઓડ ઈવન નંબરમાં વારંવાર નિયમો બદલાતા વેપારીઓ પરેશાન થઈ રહ્યાં છે, ૨ નંબર વાળાઓની દુકાનો રહેશે બંધ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ઓડ ઈવન નંબરમાં વારંવાર નિયમો બદલાતા વેપારીઓ પરેશાન થઈ રહ્યાં છે. આવતીકાલે ૩૧મે અને પરમ દિવસે ૧ જૂને એકી તારીખ હોવાથી બેકી તા્રીખવાળા દુકાનદારોને બે દિવસ સુધી પોતાની દુકાનો બંધ રાખવી પડશે. જોકે આ પહેલા કોર્પોરેશને એકી-બેકી મુજબ જેનો વારો હોય તે દુકાનો ખુલ્લી રાખશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ ફરીવાર એ નિયમ બદલીને કોર્પોરેશને એકી તારીખવાળા દુકાનદારોને ૩૧મે અને ૧ જુને દુકાન ખોલવાની જાહેરાત કરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment