આજે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે રોજ પુષ્યનક્ષત્રના દિવસે કુપોષણ નિવારણ કેમ્પની સાથે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભુજ

      ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૨૧/૦૯/૨૦૨૨ના બુધવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે કુપોષણ નિવારણ કેમ્પ કરવામાં આવશે જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણ પ્રાશનનાં ટીપાં નિ:શુલ્ક  સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે તથા કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત આપણું ઘર સાર્વજનિક દવાખાનું માધાપર ખાતે સવારે ૯ કલાકેથી બપોરના ૧૨ કલાક સુધી તેમજ સાંજે ૪ કલાકથી ૫.૩૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે તેમજ કુપોષિત નિવારણ કેમ્પ યોજાશે.

       સુવર્ણપ્રાશનના ફાયદાઓ : સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને  યાદ રાખવાવાળું) બને છે. અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે એમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-ક્ચ્છ ના વૈદ્ય ડૉ.બર્થાબેન પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment