હિન્દ ન્યુઝ, જૂનાગઢ
શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ શહેર સમિતિ જુનાગઢ શાખા દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિદ્યાર્થી આશીર્વાદ સમારોહ કાર્યક્રમનું આયોજન ગયકાલે રવિવારના રોજ બપોરના ૪ કલાકે લોહાણા મહાજન વાડી જુનાગઢ ખાતે કરવામાં આવેલું
શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ ના અધ્યક્ષ ૧૦૮ શ્રી શરદરાયજી મહારાજ શ્રી ની આજ્ઞાથી તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સન્માન પણ આ તકે રાખવામાં આવેલું હતું.આ તકે શ્રી ડોલરભાઈ કોટેચા ચેરમેન ખેતી બેંક ગુજરાત રાજ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી તરીકેની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે તેઓનું એક સન્માન પત્ર આપના વરદ હસ્તે થી એનાયત કરવામાં આવ્યું હતું
જુનાગઢ ના ધોરણ એક થી લઈને ગ્રેજ્યુએટ વાળા વિદ્યાર્થીઓને ક્રમાંક મુજબ પ્રથમ દ્વિતીય ત્રીજો એવી રીતે પ્રમાણપત્ર શિલ્ડ અને ઇનામો આપ શ્રી ના હસ્તે મેળવ્યા હતા જેમાં આશરે ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓ બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ : હિરેન નાગ્રેચા જૂનાગઢ