રાધનપુર સુરભી ગૌશાળા ખાતે ગાંધીનગર સંમેલન યોજવાના ભાગરૂપે મીટીંગ નું આયોજન

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા-રાધનપુર ખાતે 20 મી એ ગાંધીનગર મુકામે ગૌમાતા માટે સંતો મહંતો નું એક મહા સંમેલન યોજવાના ભાગરૂપે આજરોજ રાધનપુર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વધુમાં વધુ ગૌસેવકો ગાંધીનગર જાય અને સરકારે જે જાહેરાત કરી છે તેનો અમલ કરવા અને ફાળવેલ ગ્રાન્ટ મળે તેવા હેતુસર આજરોજ રાધનપુર ખાતે ગૌશાળા માં મીટીંગ નું આયોજન થયું હતું. રાધનપુર તેમજ આજુબાજુની ગૌશાળા ના સંચાલકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. રાધનપુર ખાતે સુરભી ગૌશાળા દ્વારા ગુજરાત સરકારે જાહેર કરેલ ગૌશાળા અને પાંજરાપોળ ની સહાય ના મળતા ૨ દિવસ આગાઉ ગૌ ભક્તો દ્વારા રાધનપુર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી કલેકટર કચેરીએ બહાર પોસ્ટરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગૌમાતા ના નામે જાહેર કરેલી સહાય તાત્કાલિક ધોરણે ચુકવી આપવાની માંગ સાથે ગાંધીનગર મુકામે ગૌમાતા માટે સંતો મહંતો નું એક મહા સંમેલન યોજવાના ભાગરૂપે આજરોજ રાધનપુર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment