રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શ્રી.મહારાણા પ્રતાપ જન્મજયંતીની ભાવપૂર્વક ઉજવણી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ શનિવારના જેઠ સુદ ત્રીજના રોજ તિથિ મુજબ હિંદવા સૂરજ ક્ષત્રિય કુળભૂષણ શ્રી.મહારાણા પ્રતાપસિંહના ૪૮૦મી જન્મજયંતિ નિમિતે સવારે ૯:૦૦ વાગ્યે રાજકોટ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સોરઠીયાવાડી ચોક ખાતે શ્રી.મહારાણા પ્રતાપજીની પ્રતિમાને મહારાણા પ્રતાપ વંદના આરતી, હુલહાર તથા દીપક પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉનના નિયમોનું પાલન કરીને મર્યાદિત સંખ્યામાં ક્ષત્રિય બંધુઓએ હાજર રહીને ઉજવણી કરી હતી. રાત્રે ૯:૦૦ કલાકે પણ શ્રી.રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય ખાતે આરતી, ફુલહાર, વંદના કરવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment