શિહોરની ભૂતા હોસ્પિટલ ખાતે મતદાતા નોંધણી કાર્યક્રમ યોજાયો

 હિન્દ ન્યુઝ, ભાવનગર

સિહોરની ભૂતા કૉલેજ ખાતે આજ રોજ સિહોર મામલતદાર ઓફિસ અને એન.એસ.એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે કૉલેજ ખાતે મતદાતા નોંધણી કાર્યક્ર્મ યોજાયો હતો.

જેમાં સિહોરના નાયબ મામલતદાર કોમલબેન ચૌહાણે વર્તમાન સમયમાં યુવા મતદાતાનું મહત્વ સમજાવ્યું હતું.

તેમજ મામલતદાર ઓફિસ સ્ટાફના હીનાબેન દ્વાર મતદાતા નોંધણી વિશે સમજાવ્યું હતું.

કૉલેજના આચાર્ય યોગેન્દ્રસિહ ગોહિલ તથા સ્ટાફ ગણ અવસર એ ઉપસ્થિત રહ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસર હરેશભાઈ ખામલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment