રોજગાર કચેરી-ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રિન્યૂઅલ કરવાં બાબત

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૯/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રિન્યૂઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય.

સંબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવાં માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયાં તારીખ થી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેઇલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર રોજગાર વિનિમય કચેરીનો ટેલિફોનિક સંપર્ક કરવાં મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગરની જણાવાયું છે

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment