રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી રાધનપુર તાલુકા માં ફરજ બજાવતા 25 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર પોતાની પડતર માંગણીઓ ને લઈને હડતાલ ઊપર ઉતર્યા, તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે મામલતદાર રાધનપુર નાયબ કલેકટર રાધનપુર અને તાલુકા વિકાસ અધિકારી ને તલાટી કમ મંત્રી ઓ એ આવેદનપત્ર આપી પોતાની માગણીઓ રજુ કરી હતી.

તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવા તલાટીઓ એકઠા થયા તેમજ તલાટીઓ ના પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા ફરી તલાટીઓ હડતાલ પર ઉતર્યા હતા.

રિપોર્ટર: અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment