જુલાઈ ૨૦૨૨ના માસમાં ૩૧૨૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ

        જુલાઈ ૨૦૨૨ના માસમાં ૩૧૨૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૮ સ્કુલના ૮૫૬ બાળકોએ પણ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

        વિશેષમાં એપ્રિલ ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૧૨,૬૪૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

ઉપરાંત જુલાઈ ૨૦૨૨ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

ક્રમ નામ સંખ્યા
શ્રી સિંગીરેડ્ડી નિરંજનરેડ્ડી, મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર તેલંગણા ૧૮
સાઉથ ઈન્ડિયન વિઝિટર ૩૦
અમેરીકા
ઇઝરાયેલ
કેન્યા
તાઇવાન
મેક્સિકો
આફ્રીકા

Related posts

Leave a Comment