ધ્રાંગધ્રાના મેળાના મેદાન ખાતે મુસ્લીમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા પ્રથમ સમુહશાદી યોજાઇ ૧૩ જેટલા દુલ્લાહ દુલ્હન સમુહશાદી માં હિન્દુ મુસ્લિમ રાજકીય આગેવાનો ઉધોગપતિ સહીત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ના હજરત પીર ની દરગાહ પાસે આવેલ મેળાના મેદાન ખાતે સમગ્ર ધ્રાંગધ્રા મુસ્લીમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહ શાદી યોજાઈ હતી જેમાં ૧૩ જેટલા યુવક યુવતીઓ શાદી ના જોડામા જોડાયા હતા આ સમૂહ શાદી ના કાર્યમા બજાણા ના સોહરવદી પીરઝાદા સૈયદ ઝિયા ઉલ્લહકબાવા જયેશભાઈ હીરાભાઈ પટેલ ઉધોગપતિ ધ્રાંગધ્રા, મૌલાના ઇમરાન રજા, અલ્પેશભાઈ પટેલ, નિર્મલભાઈ શાહ જૈન ગ્રુપ, સૈયદ ઇમ્તિયાઝ ભાઈ સુધરાયસભ્ય, હુશેનભાઈ , યુનુસભાઇ વકીલ સલીમભાઇ માટી વારા, મુન્નાભાઈ રબારી જીલાભાઈ મેવાડા સહીત આગેવાનો, હોદ્દેદારો, મુસ્લીમ ફકીર સમાજના આગેવાનો હોદ્દેદારો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમુહશાદી કાર્યક્રમ ને સફળ બનાવવા મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ ના પ્રમૂખ મયુદિનશા દિવાન, ઉપ પ્રમુખ ઈકબાલશા દિવાન, મંત્રી અહેમદશા દિવાન, સહ મંત્રી બુખારીશા કતીયાર સહીત સમગ્ર સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment