સોમનાથ તીર્થમાં દેવભાષા સંસ્કૃત સંભાષણના પ્રથમ વર્ગનો સમાપન કાર્યક્રમ યોજાયો “सोमनाथ मन्दिर परिसरे भवतां हार्दं -स्वागतम् अस्ति ”

હિન્દ ન્યુઝ, સોમનાથ

તા.21-05-2022,શનિવાર- વૈશાખ વદ છઠ સોમનાથ ખાતે આવતા યાત્રીઓનું દેવભાષા સંસ્કૃત ના પવિત્ર શબ્દોથી સ્વાગત થાય, તેવા શુભાશય સાથે યોજાયેલ પ્રથમ સંસ્કૃત સંભાષણ વર્ગનું સમાપન થયું, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી શ્રી સોમનાથ સંસ્કૃત- યુનિવર્સિટિ દ્વારા 15 દિવસિય તાલિમ વર્ગનું સોમનાથ યાત્રી સેવાકેન્દ્ર ભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના શ્રી સોમનાથ મંદિર સહિતના અન્ય મંદિરોમાં ભગવાનની સેવા કરતા પૂજારીશ્રીઓ તથા સ્થાનિક તિર્થપુરોહિતો ના પરિવારો સંસ્કૃત સંભાષણ સરળતાથી કરી શકે તેવા શુભાશય થી સંસ્કૃત સંભાષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 15 દિવસ ચાલેલા વર્ગમાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સંશોધક વિદ્વાનો દીલીપભાઇ ત્રિવેદી અને રવિભાઇ રાદડીયા તથા સહાયક શિક્ષક દિપ પોપલીયા દ્વારા 55 જેટલા લાભાર્થીઓ ને સંસ્કૃતનુ પ્રશીક્ષણ આપવામાં આવેલ હતુ.

આગામી સમયમાં સોમનાથ ખાતે સંસ્કૃત સંભાષણના વધુ બે વર્ગોનું આયોજન થનાર છે, જેમાં સ્વૈચ્છીક રીતે લોકો જોડાઇ સંસ્કૃત સંભાષણ શીખી શકે અને રોજ બરોજના ઉપયોગમાં સંસ્કૃત ભાષા કેમ ઉપયોગી બની રહે તે રીતે પ્રશીક્ષણ આપવામાં આવશે, આ વર્ગોનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી શ્રી સોમનાથ યુનિવર્સીટી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ વર્ગ સમાપન સમારોહ તા.19 મે ના શ્રી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે રાત્રે 9-30 કલાકે યોજાયેલ હતો, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી પ્રો.જે.ડી.પરમાર, શ્રી સોમનાથ યુનિવર્સીટી ના કાર્યકારી કુલપતિ ડો.લલીત પટેલ, રજીસ્ટ્રાર દશરથ જાદવ, સોમપુરા બ્રહ્મસમાજ ના પ્રમુખ દુષ્યંતભાઇ ભટ્ટ સહિત મહાનુભાવો, સ્થાનીકો ની પ્રેરક ઉપસ્થીતી માં યોજાયો હતો. આ વર્ગ સમાપન પ્રસંગે સંસ્કૃત સંભાષણ ઉપસ્થીત સૌને વિવિધ વિષયો દ્વારા સંબોધીત કરવામાં આવેલ હતા જેમાં શ્રી સોમનાથ મંદિર ના મુખ્ય પુજારીશ્રી વિજયભાઇ ભટ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર ની દિનચર્યા, પરાગભાઇ પાઠક પુજારીશ્રી દ્વારા શ્રી સોમનાથ મંદિર માહાત્મ્ય તથા પ્રાગટ્યકથા, વિશાલભાઇ જાની દ્વારા સોમનાથ મંદિર પરિચય, વૈભવભાઇ પાઠક પુજારીશ્રી સંસ્કૃત અને સંસ્કૃતિ જેવા વિષયો અંગે ઉંડાણપુર્વણ જણાવેલ હતું. આ પ્રસંગે દશરથભાઇ જાદવે જણાવેલ કે રોજબરોજના ઉપયોગ માટે પણ સંસ્કૃત ભાષા સરળતાથી શીખી શકાય છે, સાથે જ શ્રી સોમનાથ યુનિવર્સિટિ ને વિશાળ ભવન જે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ તે ઋણ સ્વિકાર કરેલ. ટ્રસ્ટી જે ડિ પરમાર એ જણાવેલ કે સંસ્કૃત ભાષા ની ઉત્પત્તિ ભગવાન શિવના ડમરૂમાંથી થયેલી હતી.

કા.કુલપતી ડો.લલીત પટેલે જણાવેલ કે, સંસ્કૃત સરળ છે, આગામી દિવસોમાં વધુ સંસ્કૃત સંભાષણ વર્ગો યોજાશે તેવી ધોષણા કરેલ હતી સાથે જ એવુ સ્વપ્ન સેવવામાં આવેલ કે, શ્રી સોમનાથ અને વેરાવળ નગર સંસ્કૃત નગર બને સ્થાનીકો સંસ્કૃત માં સંભાષણ કરે અને આ નિર્માણ કાર્ય માટે આ પ્રથમ સંસ્કૃત સંભાષણ વર્ગ મહત્વનું યોગદાન બની રહેશે. આ પ્રસંગે ઉપસ્થીત સૌ ની આભાર વિધિ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબે દ્વારા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment