હિન્દ ન્યુઝ, ભાવનગર
ગત રિવ્યુ બેઠક દરમ્યાન શહેરના ભાવનગર પૂર્વ વિધાનસભાના રુવા પી.એચ.સી.સેન્ટર અને ભાવનગર પશ્ચિમના કુંભરવાડા અને નારી પી.એચ.સી.સેન્ટરમાં સાધનોના અભાવ અને મુશ્કેલી અંગે અધિકારીગણ તરફથી જાણમાં આવતા રુવા, નારી અને કુંભારવાડા ના પી.એચ.સી.સેન્ટર માટે જરૂરી આર્થિક રકમ અંદાજીત 90 લાખની માંગણી સરકારશ્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ પાસે મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા કરતી રજુવાત કરવામાં આવતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તુરંત પ્રતિભાવ આપતા મંત્રી જીતુભાઇ વાઘણીની રજુઆત સંદર્ભે ત્રણે પી.એચ.સી.સેન્ટરો માટે ૩૦-૩૦ લાખ સાથે કુલ રૂપિયા ૯૦ લાખ જેવી માતબર રકમ મહાનગર સેવા સદન માટે મંજુર કરવામાં આવતા ખુશીની લહેર દોડી હતી. ૯૦ લાખ જેવી માતબર રકમ મંજુર કરવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંત્રી જીતુભાઇ વાઘણીએ કહ્યું કે, સરકાર સંવેદના સાથે કામ કરી રહી છે ત્યારે આર્થિક સહાય માટેની રજુઆતના ગણતરીના દિવસોમાં જ ૯૦ લાખ જેવી માતબર રકમ મંજુર કરી જન સુખાકારીની અને આરોગ્યની ચિંતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય સરકારે કરી છે. ત્રણ પી.એચ.સી.ના અંદાજીત સવા લાખ કરતા વધુ લોકોના આરોગ્યની ચિંતા કરી છે કોરોના કાળ દરમ્યાન પી.એચ.સી.સેન્ટરોની કામગીરી ખાસ કરીને ઓ.પી.ડી., આર.ટી.પી.સી.આર ટેસ્ટ, વિવિધ રોગો સામે મેડિસિન, બહેનોની પ્રેગ્નન્સી સુવિધા સહિતની અનેક લાભદાયી કામગીરીનો અનુભવ જનતાને થયો છે અને લોકોનો મોટો પ્રવાહ આરોગ્ય બાબતે પી.એચ.સી.સેન્ટર તરફ વળ્યો છે ત્યારે આ જન સુખકારીની સુવિધા મજબૂત બને, વ્યાપક બને અને જન-જન અને ઘર – ઘર સુધીના આરોગ્યની ચિંતા થાય માટે આ ૯૦ લાખ જેવી માતબર રકમ અને સાધનોની જરૂરિયાત પૂર્ણ થવાથી લોકોની સુખાકારી અને આરોગ્યની વધુ સારી રીતે ચિંતા થશે આથી આ વિષય સંદર્ભે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણીએ રિવ્યુ બેઠક દરમ્યાન અગ્રીમતા આપી મંજુર કરાવતા ભાવેણાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી