બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણા શ્રી રામજી મંદિરના દર્શન કરી ગ્રામજનોને મળ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ

      બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે તાજેતરમાં મહાયજ્ઞ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણાએ મંદિરની મૂલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ ભગવાનશ્રી રામના દર્શન કર્યા હતા તેમજ ગ્રામજનો સાથે મૂલાકાત લીધી હતી તથા તાજેતરમાં યોજાયેલા યજ્ઞ, જુદા જુદા કાર્યક્રમો તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય આયોજન માટે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે શ્રી મોટા રામજી મંદિરના મહંતશ્રી પતિતપાવનદાસ બાપુના દર્શન કરી આર્શિવચન મેળવ્યા હતા.


આ પ્રસંગે રાજભા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિસ્ત રહ્યા હતા

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment