હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ તાલુકામાં કેન્દ્ર નં.૨૬ શિરવાણીયા પ્રાથમિક શાળા, કેન્દ્ર નં.૩૬ સમઢીયાળા, કેન્દ્ર નં.૩૯ ઢીંકવાળી, કેન્દ્ર નં.૫૦ કેરીયા-૧ અને કેન્દ્ર નં.૭૫ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નં.૨૨ બોટાદ ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતેથી તા.૨૯/૦૫/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે. આ જગ્યા માટે લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ કે તેથી વધુની રહેશે તથા સરકારના ઠરાવ મુજબ નક્કી કરવામાં આવેલ અગ્રતા ક્રમ મુજબ નિમણૂંક આપવામાં આવશે
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ