બોટાદ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા નિયત નમૂનામાં અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

  બોટાદ મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ તાલુકામાં કેન્દ્ર નં.૨૬ શિરવાણીયા પ્રાથમિક શાળા, કેન્દ્ર નં.૩૬ સમઢીયાળા, કેન્દ્ર નં.૩૯ ઢીંકવાળી, કેન્દ્ર નં.૫૦ કેરીયા-૧ અને કેન્દ્ર નં.૭૫ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નં.૨૨ બોટાદ ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતેથી તા.૨૯/૦૫/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે. આ જગ્યા માટે લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ કે તેથી વધુની રહેશે તથા સરકારના ઠરાવ મુજબ નક્કી કરવામાં આવેલ અગ્રતા ક્રમ મુજબ નિમણૂંક આપવામાં આવશે

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment