કાલાવડ ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવ ની શોભાયાત્રા નીકળી

હિન્દ ન્યુઝ, કાલાવડ

          કાલાવડ ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. બ્રાહ્મણો ના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદા જન્મોત્સવ ની શોભાયાત્રા માં કાલાવડ સમસ્ત બ્રહ્મ સમાજ, કાલાવડ શહેર અને તાલુકા તથા બ્રહ્મદેવ સમાજ કાલાવડ મહિલા ટિમ, યુવા ટિમ દ્રારા કાલાવડ શહેર ના મુખ્ય માર્ગ થી આ શોભયાત્રા કાઢવામાં આવી. આ શોભયાત્રા માં ઉપસ્થિત મેહમાન માં રાજકોટ થી અંશભાઈ ભારદ્વાજ, સમીરભાઈ ખીરા, કાલાવડ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ દીપકભાઈ પંડ્યા, કાલાવડ તાલુકા પ્રમુખ કિશોરચંદ્ર એમ. જોશી, બ્રહ્મદેવ સમાજ ગુજરાત ના કાલાવડ શહેર ના પ્રમુખ સચીનભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ સુનિલભાઈ ભટ્ટ, યુવા સમિતિ ના પ્રમુખ મિહિરભાઈ શુક્લ, બ્રહ્મદેવ સમાજ યુવા પાંખ ના પ્રમુખ હાર્દિકભાઈ જોશી, મહિલા ટિમ ના પ્રમુખ જ્યોત્સનાબેન વ્યાસ તથા બ્રહ્મ આગેવાનો બ્રહ્મ પરિવાર સાથે મોટી સંખ્યા માં શોભાયાત્રા કાઢવામાં આવી.

આ શોભાયાત્રાનું સ્વાગત ક્ષત્રિય સમાજ ના આગેવાન કાલાવડ વોર્ડ નંબર 1 ના નગરપાલિકા ના સભ્ય હરિચંદ્રસિંહ જાડેજા, વોર્ડ નંબર 2 ના નગરપાલિકા ના સદસ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા ક્ષત્રિય સમાજ ના આગેવાન દ્રારા કરવામાં આવ્યું તેમજ કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, કાલાવડ નગરપાલિકા ના સભ્યો તેમજ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ બ્રહ્મસમાજ ની વાડીમાં ભગવાન પરશુરામ દાદા ની મહાઆરતી કરવામાં આવી અને બ્રહ્નચોર્યાસી નું આયોજન પણ કરવામાં આવ્યું. આ શોભાયાત્રા માં જે કોઈ બ્રહ્મ મિત્રો, વડીલો , બેહનો, આગેવાનો, વિવિધ સમાજ ના આગેવાનો, રાજકીય આગેવાનો તથા ખાસ કાયદો અને વ્યવસ્થા ની સંપૂર્ણ જવાબદારી જેમના માથે હતી એવા કાલાવડ ટાઉન ના પી.એસ.આઈ જોશીભાઇ અને કાલાવડ ટાઉન ના તમામ સ્ટાફ અને કાલાવડ ની જનતા નું સમગ્ર બ્રહ્મ સમાજ વતી અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે

Related posts

Leave a Comment