હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર શહેરના ૩૦૦ માં જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે ભાવનગર પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સાંજે જશોનાથ સર્કલ પાસે આવેલાં વાસણ ઘાટ ખાતે આવેલી મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ અવસરે તેમની સાથે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો પણ જોડાયાં હતાં.