રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ પરમાર ની વેદના આવી સામે

હિન્દ ન્યુઝ,રાધનપુર

રાધનપુર નગરપાલિકામાં ઘણા સમય થી લઇ ને સાફ સફાઈ, ગટર વ્યવસ્થા વગેરે થી લોકો પરેશાન છે ત્યારે આજે નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ પરમાર એ નિવેદન આપતા જણાવ્યું હતું કે રાધનપુર કોંગ્રેસ શાસિત નગરપાલિકા હોવાથી નગરપાલિકાને બદનામ કરવા અમુક લોકો રોડ રસ્તા ઉપર કચરો ફેકી અમોને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે. અમો હરહંમેશ સાફ સફાઈ રાધનપુર ખાતે કરાવીએ છીએ. રાધનપુર નગરપાલિકાના પ્રમુખે વધુ મા જણાવતા કહ્યું કે રાધનપુર નગરપાલિકા માં કચરા ના ઢગલા ને લઈને નગરપાલિકાના કચેરી ખાતે આપલે નિવેદન અમારી પેનલ ને બદનામ કરવા માટે કચરો રસ્તા ઉપર નાખવામાં આવે છે.

રાધનપુર નગરપાલિકા દ્વારા હંમેશા સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો રાધનપુર નગરપાલિકા કોંગ્રેસ સાસીત હોવાના કારણે નગરપાલિકાને બદનામ કરવા માટે જાણી જોઈને રસ્તા ઉપર કચરો નાખે છે. નગરપાલિકાને બદનામ કરવા માટે આવું થાય છે, આમ નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઇ પરમારે જણાવ્યું હતું. રાધનપુર નગરપાલિકા ના ગટર વ્યવસ્થા ના પ્રશ્નો શહેર માં વધુ પ્રમાણ માં હોઈ જેથી બજાર માં લોકો ત્રાહિમામ છે. ત્યારે રાધનપુર શહેર ના નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ એ આ વાતો વખોવી નાખી હતી અને અમુક લોકો દ્વારા નગર પાલિકા ને બદનામ કરવામાં આવે છે એવી વાત કરી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment