રાજકોટ ખાતે બ્રહ્મ દેવ સમાજ દ્વારા આયોજીત પરશુરામ જન્મોત્સવ

હિન્દ ન્યુઝ, રાજકોટ

બ્રહ્મ દેવ સમાજ રાજકોટ આયોજીત પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ગતરોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ભુજ ના બ્રાહ્મણ કલાકારો દ્વારા ભગવાન પરશુરામ ના જીવન ઉપર નાટક નો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ જેમા બહોળી સંખ્યા મા બ્રાહ્મણ પરિવારો હાજર રહેલ અને બહુમાળી ચોક ખાતે આવેલ પંડાલ માં મહા આરતી થયેલ. આજે તા.૦૨-૦૫-૨૦૨૨ ના રોજ રેસકોર્સ ખાતે આવેલ બાલભવન મેદાન મા ભવ્ય રાસ ગરબા નુ આયોજન રાખેલ છે. જેમા પ્રખ્યાત ગાયક રાહુલ ભાઈ મહેતા “સાગરભાઈ રાવલ “ખુશી બહેન જોશી સુર રેલાવશે અને ક્ષત્રીય બહેનો તલવાર રાસ અને બ્રાહ્મણ દીકરીઓ ફરસી રાસ કરશે અને આવતીકાલ સવાર ના પરશુરામ પંડાલ ખાતે સવાર ના 7 થી 11 સર્વ જગત હિતાય અર્થે યજ્ઞ નુ આયોજન રાખેલ છે. ૧૧:૩૦ પરશુરામ દાદા ની નીજ મંદિર ખાતે પધરામણી થશે અને સાંજે સાત વાગ્યે ઇશ્વરિયા મહાદેવ માધાપર ખાતે બ્રહ્મ ચોરાશી નુ આયોજન રાખેલ હોય મોટી સંખ્યા મા હાજરી આપવા આમંત્રણ પાઠવેલ છે

રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Related posts

Leave a Comment