હિન્દ ન્યુઝ, થાનગઢ
આજની પરીક્ષા ના ચિંતાના પ્રશ્ર્નો, ઓનલાઇન પ્રશ્ર્નો, ઓફલાઈન પ્રશ્ર્નો, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? તેવા પ્રશ્ર્નો, આવા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્ર્નો મુંજવતા હોય છે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુરુજી બનીને દરેક વિધાર્થીઓના પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપીને ખુબ જ સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું છે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ ની માહિતી બી.આર. સી.ભવન થાનગઢ દ્વારા પુરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને પ્રધાનાચાર્ય હસમુખગુરુજી તથા સહપ્રધાનાચાર્ય રાજેન્દ્રગુરુજી તથા સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્રારા સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : જયેશ મોરી, થાનગઢ