હનીટ્રેપ નો કારશો રચી નિવૃત શિક્ષક (બ્રાહ્મણ ) નું મકાન પચાવી પાડવા અંગે ની ફરિયાદ ૭૩,વિધાનસભા (ગોંડલ) નાં ધારાસભ્યના દ્વારે પહોંચી

હિન્દ ન્યુઝ, ગોંડલ

ગોંડલ ભોજરાજપરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર માં રહેતા નિવૃત શિક્ષક (જાતે બ્રાહ્મણ ) સ્વ.હરસુખલાલ પંડ્યા ની સાથે હની ટ્રેપ જેવો કારશો(ષડયંત્ર) રચી તેના મકાનનો દસ્તાવેજ કરાવી લઈ મકાનના તાળા તોડી સર-સામાન સાથે મકાનનો કબ્જો કરી લેવા બાબત ની મોટા દડવા ગામનાં નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી સાથે ગુન્હામાં સામેલ મહિલા સહિતના (છ) શખ્સો વિરુદ્ધ ની ફરિયાદ માં ગોંડલ સીટી પોલીસે ગુન્હાની ગંભીરતા સમજી ગુન્હો ડિટેકટ કરવાનાં બદલે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી સમગ્ર મામલો રફે દફે કરી દઈ પોતાની ઉપરથી ભાર ઉતારી નાખ્યો હોવા બાબત ની ફરિયાદ રાજકોટ ગ્રામ્ય એસ.પી.થી લઈ કલેક્ટર તથા DGP સુધી અને સાંસદ થી લઈ ને ઠે..ઠ..PMO સુધી પહોંચી છે પરંતુ આજદીન સુધી કાંઈ પગલા નહીં લેવાતા કે આરોપીઓ વિરુદ્ધ કાંઈ કાર્યવાહી નહીં થતા ફરિયાદી એ ન્યાય મળવાની આશા – અપેક્ષાઓ સાથે પોતાની લેખીત ફરિયાદ ૭૩,વિધાનસભા (ગોંડલ) નાં ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જે.જાડેજા ને રજી.એ.ડી. દ્વારા મોકલી છે.

રિપોર્ટર : આશિષ ગોંડલિયા, ગોંડલ

Related posts

Leave a Comment