હઝરત ઈમામ હુસેન (અ.સ)ની વિલાદત પ્રસંગે કોડીનારમાં હિન્દુ-મુસ્લિમોની એકતા રેલી નીકળી કરબલાના મહાન શહીદ

હિન્દ ન્યુઝ, કોડીનાર

કરબલાના મહાન શહીદ હઝરત ઈમા હુસેન.અ.સ.ની વિલાદત (જન્મ દિવસ) પ્રસંગે કોડીનાર શહે૨માં હિન્દુ-મુસ્લિમ દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર બુખારી મોહલ્લા સમાજ અને બુખારી સૈયદ ધર્માદા રો.ભા. ટ્રસ્ટ દ્વારા હઝરત ઇમામ હુસૈન રદી.ના જન્મ દિવસના મુબારક દિવસે શહેરની એકતા અને ભાઈચારા માટે આજે સાંજે ૫ કલાકે બુખારી મોહલ્લામાંથી મૂળ દ્વારકા રોડ સ્થિત કરબલા સુધી ભવ્ય એકતા રેલી કાઢવામાં આવી હતી. એકતા રૈલીમાં કોડીનાર શહેર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસી ભાઈ બારડ અને પીન્ટુભાઇ બારોટ અને રામભાઈ વાઢેર, અને મૌલાના અસગર મહેંદી, મૌલાના મુકતાર રહેમ, હાજી રફીકભાઈ જુણેજા, બશીરભાઈ શેખ પટેલ, જીશાનભાઈ નકવી, ખુરશીદભાઈ વગેરે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિતના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો. અંદાજે બે કિ.મી.જેટલું રૂટ ધરાવતી એકતા રેલીનું અનેક ઠેકાણે સરબત તેમજ ઠંડા પીણાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : ખાલેક નકવી, કોડીનાર

Related posts

Leave a Comment