પાલનપુર ખાતે પશ્વિમ રેલ્વે કર્મચારી યુનિયન દ્વારા રક્તદાન શિબિર યોજાઇઃ ૫૨ બોટલ બ્લડ એકત્ર કરાયું

હિન્દ ન્યુઝ, પાલનપુર

       પાલનપુર રેલ્વે હોસ્પીટલ ખાતે પશ્ચિમ રેલ્વે કર્મચારી યુનિયન દ્વારા ગઇકાલ તારીખ ૨ માર્ચ-૨૦૨૨, બુધવારના રોજ પશ્ચિમ રેલ્વે કર્મચારી યુનિયનના સ્થાપક ઉમરાવમલ પુરોહીતના જન્મદિવસ પ્રસંગે ભૂમિ બ્લડ બેન્ક, પાલનપુરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૫૨ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં મોટી સંખ્યામાં રેલ્વેના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન શિબિરમાં બી. પી. ગઢવી, સચિવ (સેક્રેટરી) પાલનપુર તથા અમદાવાદ મંડલના સંગઠન મંત્રીની અધ્યક્ષતામાં તથા હારૂન કાજી, કે.સી.મીણા, એલ્વિસ જ્યોર્જ, વિનોદ સિંહ, સરફુદિન, અનુજ સહાયજી તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment