શિવાજી મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ની જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન

હિન્દ ન્યુઝ,

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ જુનાગઢ દ્વારા હિન્દવી સ્વરાજ ના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ તથા પરમ પૂજ્ય ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોળવલકર જન્મ જયંતી પ્રસંગે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.16 વર્ષથી 50 વર્ષ ની સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કર્યું હતું સાથે કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આ કૅમ્પની સાથે સાથે ચક્ષુદાન, દેહદાન ના ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યા હતા. સવારે 9:30 વાગ્યાથી 12:30 સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ જૂનાગઢ ખાતે આવેલ નટવરસિંહ સેવાભવન રાખઆબાપાની જગ્યા ની બાજુમાં, પ્રમુખનગર, ક્રોમ શોરૂમ વાળી શેરી ટીંબાવાડી જૂનાગઢ ખાતે યોજાયો હતો.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment